નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બધાનું માનવું છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવામા આવવી જોઈએ. જોકે આ કાનૂનના દાયરામાં કરવામાં આવવું જોઈએ, કેમ કે પાછલી કોંગ્રેસ સરકારે આ સ્થળને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણમાં આપી દીધું હતું.
મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાથી ભાજપના સાંસદ ઉદયનરાજે ભોસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવાની માગ કરી હતી.
તેઓ ઔરંગઝેબની કબર હટાવવા માગે છે પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબનું સમારકામ કરવામાં ન આવે. ગઈ કાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. હવે ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ ઔરંગઝેબની કબર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
બજેટ સત્ર પહેલા મિડિયા સાથે વાત કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે આ બજેટમાં સમાજના તમામ વર્ગોને કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે પણ વચનો આપ્યાં છે તે પૂરાં કરીશું. અમે આ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. ઔરંગઝેબની કબર વિશે વાત કરતાં સુધીરે કહ્યું કે સરકારે એ કબરને રિપેર કરાવવા માટે પૈસા ન આપવા જોઈએ.
