ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરના શંખ દ્વારમાં રવિવારે અચાનક ભીષણ આગ લાગી ગઈ, જેની જ્વાળાઓ અને ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. આગની માહિતી મળતા જ ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, મંદિર સંકુલના કંટ્રોલ રૂમમાં સ્થાપિત બેટરીથી આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#Ujjain ज्योर्तिलिंग श्री महाकालेश्वर मंदिर परिसर में लगी भीषण आग
आगजनी की घटना से महाकाल मंदिर में मचा हडकंप
घटना के बाद राहत एवं बचाव कार्य तत्काल शुरू
मौके पर पहुंची कई दमकलें, आग बुझाना किया गया आरंभ
किसी के हताहत होने की नहीं है खबर#mahakal #UjjainMahakal #Mahakaleshwar pic.twitter.com/Vx61wjzLLC— Dinesh Tripathi (@Dineshtripthi) May 5, 2025
ઘટના બાદ તરત જ મહાકાલ મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ લાગ્યા બાદ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે મહાકાલ મંદિરમાં જ્યારે આ ઘટના બની ત્યારે મંદિરમાં ભારે ભીડ હતી. સોમવાર હોવાથી મંદિરમાં ભારે ભીડ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર રોશન સિંહ, મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિક, ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આશિષ પાઠક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
