સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન

અમદાવાદ: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 27મી જુલાઈ 2024ના રોજ સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું.

ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ કાર્યક્રમમાં ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સુર્યમ ડેવલોપરના ડાયરેકટર અજલભાઈ પટેલ, ડો. મયુર જોષી હાજર રહ્યા અને તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

‘ઉદ્દગમ શબ્દ સુરોત્સવ’માં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરની જાણીતી ગઝલો રજૂ કરવામાં આવી. મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગએ દર્દ સે મેરા દામનભર લે… ગઝલથી શરૂઆત કરી હતી. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દિક્ષિતા જોષી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદગમના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોષી, કિરત જોષી, અનિતા કપૂર હાજર રહ્યા.