ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના નિવેદનથી ટ્રમ્પે મારી પલટી

વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સૌપ્રથમ જાહેરાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જે પછી યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાત ભારત તરફથી કરવામાં આવી હતી. આ સીઝફાયરની જાહેરાત ટ્રમ્પે કરતાં રાજકીય વિવાદ વધ્યો હતો. વિપક્ષે ભાજપ પર અને સરકાર પર નિશાન સાધ્યું હતું. . આ સીઝફાયરની જાહેરાત મુદ્દે વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે.

જોકે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નિવેદનથી પલટી મારી હતી. તેમણે હવે કહ્યું છે કે હું એવું નથી કહેવા ઇચ્છતો હતો કે મેં મધ્યસ્થી કરાવી છે, પણ ભારત અને પાક વચ્ચેની સમસ્યાને ઉકેલવામાં મેં મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનું યુદ્ધ નિયંત્રણ બહાર જવાનું હતું, જેથી અમેરિકાએ બંને દેશોને સમસ્યા ઉકેલવામાં મદદ કરી હતી.

આ પહેલાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામની જાહેરાત વિદેશ સચિવ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ આ દાવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેઓ પોતે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. બંનેએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે વાતચીત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ થયેલી લાંબી રાત્રિના સંવાદ બાદ મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે. બંને દેશોએ બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કર્યો તે બદલ અભિનંદન. આ મામલે ધ્યાન આપવાને બદલ આભાર.