રોહિત બીજી ટેસ્ટમાં મોટે ભાગે રમશે

ઢાકાઃ ભારતનો ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામે 22 ડિસેમ્બરથી અહીં શરૂ થનાર બીજી અને વર્તમાન શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં રમી શકશે એવી ધારણા રખાય છે. સૂત્રોનું કહેવું છે કે રોહિત પુનઃસ્વસ્થતા પ્રક્રિયા હેઠળ ગયો હતો અને એ બીજી ટેસ્ટ મેચ શરૂ થતા પહેલાં એ સંપૂર્ણ સાજો થઈ જવાની ધારણા છે.

બાંગ્લાદેશ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે રોહિતને ફિલ્ડિંગ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગ્યો હતો. એને કારણે તે ત્રીજી મેચમાં રમી શક્યો નહોતો અને હાલ ચટ્ટોગ્રામમાં રમાતી પહેલી ટેસ્ટ મેચમાં પણ રમી શક્યો નથી. તે જલદી ઈજામુક્ત થઈ જાય એ માટે મુંબઈના એક નિષ્ણાતની સલાહ પણ લેવામાં આવી છે.