નેસ વાડિયાઃ IPL ના કારણે કોઈના જીવ સાથે સમજૂતી નહીં

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે પ્રીમિયર લીગના આયોજનને લઈને બેઠક થઈ રહી છે. આમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ફ્રેન્ચાઈઝી ટીમના માલિકોને આમાં બોલાવવામાં આવ્યા છે.

આ બેઠક પહેલા કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ કહ્યું કે, ફેન્સ અને પ્યેયર્સની સુરક્ષા સૌથી પહેલા મહત્વની છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તમે ફેન્સ અને પ્લેયર્સની સુરક્ષા સાથે સમજૂતી ન કરી શકો. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટને સ્થગિત કરીને એક યોગ્ય નિર્ણય કર્યો છે. આઈપીએલના કારણે કોઈપણ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ.

સરકારે પબ્લિક ગેધરિંગ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. મીટિંગમાં હું પણ કહેવા માંગીશ કે સ્થિતિ પર આવતા બે સપ્તાહમાં નજીકથી નજર રાખીને બાદમાં કોઈ નિર્ણય લેવો જોઈએ. તમે લોકોના જીવ સાથે સમજૂતી ન કરી શકો. જો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સ્થિતિ યોગ્ય થતી નજરે આવે તો પછી એક કઠણ નિર્ણય લેવાની જરુર હશે.