ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ BCCIએ ટીમ ઈન્ડિયાને રોકડ ઈનામથી નવાજ્યું

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ ઈન્ડિયા માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની ઘોષણા કરી છે. આ ઈનામની રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને અજિત અગરકરની આગેવાનીવાળી પસંદગી સમિતિને આપવામાં આવશે. જોકે, BCCIએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ ઈનામની રકમ કેવી રીતે વહેંચાશે.

BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું, “એક પછી એક બે ICC ટાઈટલ જીતવું એ મોટી સિદ્ધિ છે. આ ઈનામ ટીમ ઈન્ડિયાના સમર્પણ અને વિશ્વ કક્ષાના પ્રદર્શનની ઓળખ છે.” રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ દબદબો બનાવ્યો અને ચાર મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી. વધુમાં બિન્નીએ ઉમેર્યું, “આ જીત દેશની મજબૂત ક્રિકેટ સિસ્ટમનું પ્રતિબિંબ છે. 2025માં આ આપણું બીજું ICC ટાઈટલ છે, જેમાં અગાઉ અંડર-19 મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પણ આપણો થયો હતો. આ બધું દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ કેટલું મજબૂત છે.”

BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું, “આ સફળતા દર્શાવે છે કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારત ટોચનું સ્થાન લાયક છે. આ જીત લાંબા સમયની મહેનત અને સારી રણનીતિનું પરિણામ છે. અમને ખાતરી છે કે ટીમ આગળ પણ આવું જ પ્રદર્શન ચાલુ રાખશે. ખેલાડીઓની મહેનતે નવા માપદંડો સેટ કર્યા છે, અને ભારતીય ક્રિકેટ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહેશે.” જ્યારે ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, “ખેલાડીઓએ ICC ટૂર્નામેન્ટમાં દબાણ હેઠળ પણ ઉમદા પ્રદર્શન કર્યું. આ સફળતા યુવા ક્રિકેટરો માટે પ્રેરણાદાયી છે. ટીમે ફરી સાબિત કર્યું કે ભારતીય ક્રિકેટ કુશળતા, માનસિક દૃઢતા અને જીતની ભાવના પર ટકેલું છે.” જણાવી દઈએ કે, રોહિત શર્માની આગેવાનીમાં ટીમે શાનદાર રમત બતાવી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવીને શરૂઆત કરી. ત્યારબાદ પાકિસ્તાનને પણ છ વિકેટથી પરાસ્ત કર્યું. ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી ધૂળ ચટાડી. સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવી hedgingકેટલાક ખેલાડીઓએ ફાઈનલમાં પ્રવેશ કર્યો.