સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

સંસદના વિશેષ સત્ર પહેલા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સમાચાર એજન્સી ANIના સૂત્રોએ આ જાણકારી આપી છે. વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સર્વપક્ષીય બેઠકમાં વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા થવાની શક્યતા છે.

રાજનાથ સિંહના ઘરે મહત્વપૂર્ણ બેઠક

સંસદના વિશેષ સત્રને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વિશેષ સત્રમાં એજન્ડા અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર, અશ્વની વૈષ્ણવ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ સામેલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ સત્ર સંસદના જૂના બિલ્ડિંગમાં શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે નવા બિલ્ડિંગમાં ચાલુ રહેશે. નવા સંસદ ભવનમાં આયોજિત થનારું આ પ્રથમ સત્ર હશે. પીએમ મોદીએ 28 મેના રોજ નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ વિશેષ સત્રના એજન્ડા વિશે માહિતીના અભાવને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસે એજન્ડા અંગે પ્રશ્નો પૂછ્યા હતા

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પોસ્ટ કર્યું હતું કે “કોઈ માહિતી નથી. અગાઉના દરેક પ્રસંગે જ્યારે પણ વિશેષ સત્રો અથવા વિશેષ બેઠકો યોજવામાં આવી હતી, ત્યારે એજન્ડા અગાઉથી જ જાણતા હતા. તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પણ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સંસદના વિશેષ સત્રના એજન્ડામાં હજુ કોઈ શબ્દ નથી. તેણે લખ્યું હતું.