દિલ્હી : સરકારી શાળાના 30 કિલોમીટરના દાયરામાં રહેતા બાળકોને મફત બસ સેવા મળશે

અરવિંદ કેજરીવાલે ‘સ્કૂલ ઓફ એમિનન્સ’ના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું કે, અમે દિલ્હીની શાળાઓને ઉત્તમ બનાવી છે. મને ખુશી છે કે દિલ્હી બાદ હવે ભગવંત માનની પંજાબ સરકારે પંજાબમાં એ જ શિક્ષણ ક્રાંતિ શરૂ કરી છે. અમૃતસરની કોઈપણ ખાનગી શાળામાં આવી સુવિધા નથી જે અહીં આપવામાં આવી રહી છે, આજે પ્રથમ શાળા બનાવવામાં આવી છે, પંજાબની દરેક સરકારી શાળાને આ રીતે બનાવવામાં આવશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે સરકારી શાળાઓની 30 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા બાળકોને મફત બસ સેવા મળશે.