અમદાવાદ: અંબાજી ખાતે યોજાનારા પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળામાં જતા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મેળા નિમિત્તે અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ રેલ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓની વધારાની ભીડને પહોંચી વળી શકાય અને તેમની મુસાફરી સરળ બનાવી શકાય.
આ વિશેષ ટ્રેન સેવાની વિગતો અનુસાર:
-
ટ્રેન નંબર 09405 (અસારવા-ખેડબ્રહ્મા): આ સ્પેશિયલ ટ્રેન અસારવા સ્ટેશનથી સવારે 09:35 કલાકે ઉપડશે.
-
ટ્રેન નંબર 09406 (ખેડબ્રહ્મા-અસારવા): પરત ફરતી આ સ્પેશિયલ ટ્રેન ખેડબ્રહ્મા સ્ટેશનથી બપોરે 15:35 કલાકે અસારવા માટે રવાના થશે.
આ સ્પેશિયલ ટ્રેન 08 કોચ વાળી MEMU રેકથી સંચાલિત કરવામાં આવશે, જેમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ (સામાન્ય વર્ગ)ના રહેશે. આ સેવાથી ઉત્તર ગુજરાત અને અંબાજી દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓને મુસાફરીમાં મોટી રાહત મળશે.
ટ્રેનોના ચોક્કસ સમય, સ્ટોપેજ અને અન્ય વિગતવાર માહિતી મેળવવા માટે રેલવે પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




