સાફ કરેલી સાબરમતી પર જળયાત્રા પહેલાં જ કુંભવેલ પથરાઈ ગઈ

અમદાવાદ: શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી સાબરમતી નદીના પટને સ્વચ્છ કરવાના પ્રયાસો કર્યા. ત્યાર બાદ શહેરની સાબરમતીને નર્મદાના નીરથી ફરી એકવાર ભરી દેવામાં આવી. નદી બેય કાંઠે તો થઈ ગઈ. પરંતુ નદી વચ્ચે અને કેટલાક કિનારે કુંભવેલ પથરાઈ ગઈ. શહેરની પ્રતિષ્ઠિત રથયાત્રા પૂર્વે બુધવારની વહેલી સવારે જળયાત્રા છે. જ્યાં જગન્નાથ મંદિરના ભક્તો, મહંત, મંત્રી અને સામાજિક આગેવાનો આવશે. જમાલપુરના બ્રિજ નીચે જ્યાં રિવરફ્રન્ટ પર જળયાત્રાનું સ્ટેજ, ટેન્ટ બનાવી તૈયારીઓ કરી છે એ સાબરમતી પટ પર કુંભવેલની વિશાળ ચાદર પથરાઇ ગઈ છે. નદીના પટમાં અચાનક પથરાઇ ગયેલા વેલના જંગલને હટાવવા પાણીમાં ત્રણ સ્પેશિયલ મશીન, બોટ, JCB મશીન, ટ્રેક્ટર કામે લગાડી દેવામાં આવ્યા છે..

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)