પાકિસ્તાનને બાલાકોટ જેવી જવાબી કાર્યવાહીનો ડર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 27 લોકોના મોત થયા છે. હવે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી નથી લીધી, પણ તેમના ફન્ડિંગથી ચાલી રહેલા આતંકવાદી સંગઠને સંદેશ જારી કર્યો છે. એ દરમ્યાન પાકિસ્તાનને હવે જવાબી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે.

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશન અબ્દુલ બાસિદનું કહેવું છે કે પાકિસ્તાન હાલના સમયે દહેશતમાં છે, એને જવાબી હુમલાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનની એરફોર્સને અલર્ટ રાખવામાં આવી છે. આવું કંઇક દ્રશ્ય પુલવામા હુમલા પછી પણ જોવા મળી હતી, ત્યારે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.બીજી બાજુ, દેશના લોકોમાં આંતકવાદને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. PM મોદી પણ તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. ત્યારે હવે પડોશી દેશ પાકિસ્તાન આ મામલે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી TRF નામના આતંકવાદી સંગઠને લીધી છે. એ ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટના નામથી પણ ઓળખાય છે. એ પાકિસ્તાનથી જોડાયેલું છે.

પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનર તરીકે સેવા આપી ચૂકેલા અબ્દુલ બાસિતે સોશિયલ મીfડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના કોઈ પણ દુ:સાહસને અટકાવવા માટે ઈસ્લામાબાદ તમામ શક્ય પગલાં લઈ રહ્યું છે. મને એમાં કોઈ શંકા નથી કે આ વખતે પાકિસ્તાનનો પ્રતિસાદ ખૂબ જ કડક હશે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ભારતીય કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે તેઓએ આખી રાત પાકિસ્તાની વાયુસેનાને એલર્ટ મોડ પર રાખી હતી.