અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત લોકગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા જોરાવરસિંહ જાદવ (૭૮)નું શુક્રવારે સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ કિડની અને હૃદય સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમના અવસાનથી ગુજરાતી લોકસંગીતની દુનિયામાં શોકનું મોટું મોજું ફરી વળ્યું છે.
આજે તેમના નિધન પર સંગીત અકાદમીથી લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા,તેમના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.
લોકસાહિત્ય ક્ષેત્રે ગુજરાતના જાણીતા લેખક, સંશોધક અને સંપાદક અને રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું.
ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના..ૐ શાંતિ pic.twitter.com/zFstGfft3y
— Harsh Sanghavi (@sanghaviharsh) November 7, 2025
લોકસાહિત્યકાર,લેખક, સંશોધક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. લોક કલા, લોકસાહિત્ય અને લોકજીવનની જ્યોતને તેમણે જીવનપર્યંત પ્રજ્વલિત રાખી.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ… pic.twitter.com/Gw1190GEkv— Jagdish Vishwakarma (@MLAJagdish) November 7, 2025
જોરાવરસિંહ જાદવ ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર, લોકસંસ્કૃતિના સંશોધક અને લોકકલાના પ્રચારક હતા. તેઓ ભારતના લોકકલા અને લોકસંસ્કૃતિના મહત્વપૂર્ણ અભ્યાસી તરીકે ઓળખાયા.
જાણીતા લોક કલા સાહિત્યકાર, લેખક, વિચારક, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે તે દુઃખદ સમાચાર મળ્યા . સ્વ .જોરાવરસિંહજીના સ્વર્ગવાસ થી વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારકની એક મોટી ખોટ પડી છે. વિદ્વાન, મિલનસાર અને જનપ્રિય શ્રી જોરાવરસિંહજીની લાગણી… pic.twitter.com/8uVvCQzviW
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) November 7, 2025
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ એટલે લોકસાહિત્ય અને લોકકલાઓનો જીવતો જાગતો ઇતિહાસ. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય-કલા જગતમાં આજે શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમનું આખું જીવન કલા વારસાને જીવંત રાખવામાં સમર્પિત હતું. તેમનો શબ્દ સદા અમર રહેશે.
સાદર નમન સહ શ્રધ્ધાંજલિ 🙏🏻 pic.twitter.com/ZYegrs3kUa— Parimal Nathwani (@mpparimal) November 7, 2025
બાળપણથી જ લોકસંસ્કૃતિના પ્રભાવમાં રહીને, તેમણે અમદાવાદમાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો.
લોકસાહિત્યના પ્રખર સંશોધક, લેખક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવજીના અવસાનના સમાચાર હૃદયદ્રાવક છે.
તેઓ લોકજીવન, લોકકલા અને સાહિત્યને સમર્પિત જીવન જીવ્યા.પરમાત્મા તેમના આત્માને ચિરશાંતિ અર્પે અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
ॐ શાંતિ। pic.twitter.com/ghM7V5WoOd— Parshottam Rupala (@PRupala) November 7, 2025
લોકસાહિત્યના મરમી, લોક સંસ્કૃતિ અને કલાને ધબકતી રાખી સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર, જાણીતા લેખક, સંશોધક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવના નિધનના સમાચારથી શોકની લાગણી અનુભવું છું.
તેમનું અમૂલ્ય સાહિત્ય અને સંશોધન આવતી અનેક પેઢીઓને આપણી પરંપરા અને સંસ્કૃતિનો… pic.twitter.com/VsZrVzq8LN
— Poonamben Maadam (@PoonambenMaadam) November 7, 2025
તેમના મુખ્ય યોગદાન:
• લોકસાહિત્ય અને કલા: તેમણે લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિ પર આધારિત ૯૦ કરતાં વધુ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું. તેમની કૃતિઓમાં લોકજીવનની વાર્તાઓ, કહેવતો, કથાઓ અને ભાવઈ જેવી પરંપરાગત લોકનાટ્યકલાનું વર્ણન મળે છે.
• ગુજરાત લોક કલા ફાઉન્ડેશન: તેઓ આ સંસ્થાના સ્થાપક છે, જે લોકકલાકારોને પ્લેટફોર્મ આપીને તેમને વિશ્વમાં પ્રચલિત કરવાનું કામ કરે છે. તેમના પ્રયાસોથી ગુજરાતી લોકકલા, ખાસ કરીને ભાવઈ (ગુજરાતી લોકનાટ્ય)નું જતન અને પ્રસાર થયો છે.
• પુરસ્કારો: ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે લોકકલા અને લોકસાહિત્ય ક્ષેત્રમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને લીધે આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ, જાણીતા લોકસાહિત્યકાર, લેખક, સંશોધક તથા સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ ના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થયું.
ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
ૐ શાંતિ 🙏🏼 pic.twitter.com/9Twl8HtTUO
— MLA Bhikhabhai Baraiya (@BRBaraiyaBJP) November 7, 2025
Sangeet Natak Akademi deeply mourns the passing of Shri Joravarsinh Jadav, Vice-Chairman of the Akademi, eminent folklorist, and Padma Shri awardee. He passed away on 7 November 2025.
Heartfelt condolences to the bereaved.#CultureUnitesAll #SangeetNatakAkademi pic.twitter.com/HIri156py7
— Sangeet Natak Akademi (@sangeetnatak) November 7, 2025
જોરાવરસિંહ જાદવનું જીવન ગુજરાતી લોકસંસ્કૃતિને જીવંત રાખવા અને તેને આધુનિક યુગમાં પ્રસ્તુત કરવાના સમર્પણનું પ્રતીક છે.


