નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની જર્મની મુલાકાતને લઈને ભાજપે તેમને ઘેરવાના પ્રયાસો કર્યા છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે X પર એક પોસ્ટ કરીને રાહુલ ગાંધીની જર્મની યાત્રા અંગેની માહિતી આપી હતી. ત્યાર બાદ ભાજપે રાહુલને નિશાના પર લીધા હતા. બીજી તરફ, રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ જવાબી પ્રહાર કરતાં કહ્યું હતું કે PM નરેન્દ્ર મોદી તો પોતાનો અડધો કામકાજી સમય વિદેશમાં જ પસાર કરે છે, તો માત્ર રાહુલ પર જ સવાલો કેમ ઊઠે છે?
કોંગ્રેસની પોસ્ટમાં શું લખ્યું છે?
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે X પર લખ્યું હતું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જર્મનીની યાત્રાએ આવી રહ્યા છે. તેઓ અહીં ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે ચર્ચા કરશે. એ ઉપરાંત રાહુલ જર્મનીના સાંસદો સાથે મુલાકાત કરશે અને ત્યાં રહેતા ભારતીયો સાથે પણ સંવાદ કરશે. આ પોસ્ટ વિક્રમ દુહાનને નામે કરવામાં આવી છે, જે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુકેના મહાસચિવ છે.
આ જ પોસ્ટને આધારે ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ પર પ્રહાર કર્યો. તેમણે લખ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ભારતીય લોકશાહીને ધમકાવ્યા બાદ, રાહુલ પોતાનું મનગમતું કામ કરી રહ્યા છે — તેઓ બ્રેક લઈ રહ્યા છે.
After threatening CEC & Indian Democracy yesterday,
Rahul back to what he does best-“Take a break”
इंडियन ओवरसीज कांग्रेस बहाना है चोरी चोरी छिपके छिपके विदेश में पार्टी करना राहुल का असली निशाना.
Rahul will begin his another “Democracy bashing Yatra from Germany” https://t.co/hKsv3ooQCO
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) December 10, 2025
તે જ રીતે BJPના નેતા શહજાદે પણ રાહુલ પર નિશાન સાધ્યું. તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે ‘વિદેશ નાયક’ એ જ કરી રહ્યા છે જે તેઓ સારી રીતે કરી શકે — વિદેશ પ્રવાસ. તેમણે લખ્યું હતું કે જ્યારે સંસદનું સત્ર ચાલુ છે અને 19 ડિસેમ્બર સુધી ચાલવાનું છે, ત્યારે રાહુલ 15થી 20 ડિસેમ્બર સુધી જર્મનીમાં રહેશે.
પ્રિયંકાનો પલટવાર
ભાજપના પ્રશ્નો પર રાહુલની બહેન પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે PM નરેન્દ્ર મોદી તો પોતાનો અડધો સમય દેશની બહાર વિતાવે છે. તેમનું કામકાજનો અડધો સમય વિદેશમાં જ પસાર થાય છે તો માત્ર રાહુલ ગાંધી પર જ સવાલો કેમ ઊઠે છે?




