JNUમાં થયેલી હિંસાને લઈને રામદાસ આઠવલેનું મોટું નિવેદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય સામાજિક અને ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જેએનયૂ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, જેએનયૂ હવે ગુંડાગર્દીનો અડ્ડો બની ગયું છે. બીજીવાર આવી ઘટના ન થાય તેના માટે જેએનયૂમાં કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરવાની જરુર છે. આના માટે તેઓ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ સાથે પણ વાત કરશે. અઠાવલેએ જેએનયૂમાં ગત રવિવારના રોજ નકાબધારી લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો તે ઘટનાની નિંદા કરી. તેમણે જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષની ભૂમિકાની પણ તપસા કરાવવાની માંગ કરી અને કહ્યું કે એક વીડિયોમાં તે નકાબમાં દેખાઈ રહી છે.

મંત્રીએ કહ્યું કે જેએનયૂમાં જે થયું તે ખોટુ છે. ત્યાં કોમ્યુનિસ્ટ વિધારધારાનો વધારે પ્રભાવ છે. ત્યાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવે છે. સંસદ પર હુમલાના દોષીત અફઝલ ગુરુની ફાંસીના દિવસે રેલી કાઢવામાં આવે છે. ગુંડાગર્દીઓ અડ્ડો બની ચૂક્યું છે. વિધારધારા અલગ હોઈ શકે છે પરંતુ આપણે બાબા સાહેબને માનનારા લોકો છીએ. આ પ્રકારની ઘટનાઓની નિંદા કરીએ છીએ. જેએનયૂમાં હુમલાની ઘટનાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા 26/11 ના હુમલાથી તુલના કરવાની વાતને આઠવલેએ ખોટી ગણાવી. તેમણે કહ્યું કે, 26/11 નો હુમલો પાકિસ્તાનના આતંકીઓએ કર્યો હતો. આવામાં જેએનયૂમાં ઘટેલી ઘટનાની તુલના તે હુમલા સાથે ન કરી શકાય.