દિલ્હીમાં સૌથી મોટી આશરે રૂ. 25 કરોડનાં ઘરેણાંની ચોરી

નવી દિલ્હીઃ શહેરના ભોગલ  વિસ્તારમાં આવેલા જ્વેલર્સને મોડી રાતે ચોરોની ટોળકી ત્રાટકી હતી. અહેવાલ અનુસાર આશરે રૂ. 25 કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો પર ચોરોએ હાથ સાફ કર્યો હતો.   આ ઘટનામાં ચોરો આ ચોરી માટે જ્વેલરીના શોરૂમની છત અને દીવાલ તોડીને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યા હતા. ચોરોએ ચોથા માળેથી છતનું તાળું તોડીને નીચે આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સ્ટ્રોન્ગ રૂમની દીવાલમાં બાકોરું પાડ્યું હતું અને CCTVનાં કનેક્શન કાપી દીધાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર શોરૂમના માલિકે રવિવારે સાંજે શોરૂમ બંધ કર્યો હતો. બીજા દિવસે પણ સોમવારે શોરૂમ બંધ રહે છે. આજે સવારે શોરૂમ ખોલ્યો, ત્યારે ચોરીની ઘટના માલૂમ પડી હતી. જે પછી એની સૂચના પોલીસને આપવામાં આવી હતી.  પોલીસ સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચ્યી હતી. નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને શક છે કે ચોરોએ રવિવારે મોડી રાતે શોરૂમમાં બાકોરું પાડ્યું હતું. પોલીસ આસપાસના લોકોને પણ પૂછપરછ કરી રહી છે.  

ઉમરાવ સિંહ જ્વલેરી શોરૂમના માલિક સંજીવ જૈને કહ્યું હતું કે આશરે રૂ. 20થી 25 કરોડની કિંમતનાં ઘરેણાં અને ઝવેરાતની ચોરી થઈ હતી. તેમણે અને કર્મચારીઓએ શોરૂમમા સ્ટ્રોન્ગ રૂમની પાસે દીવાલમાં બાકોરું જોયું હતું. તેમણે કહ્યું હતું કે ચોરો અંદર પહોંચીને શાંતિથી ચોરને ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરો સોના-ચાંદીની મોટા ભાગની કીમતી સામાન ઉઠાવીને લઈ ગયા હતા.