સ્ટેન સ્વામીની જામીન અરજી કુદરતી કારણોસર નકારાઈઃ MEA

મુંબઈઃ કેથલિક પ્રિસ્ટ સ્ટેન સ્વામીના મોત પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીની જામીનની અરજી કુદરતી કારણોને લીધે નકારી કાઢવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે ફાધર સ્ટેન સ્વામીના નિધનનો રિપોર્ટ જોયો છે. તેમને નેશનલ ઇન્વેસ્ટિંગ એજન્સી (NIA) દ્વારા ધરપકડ અને હિરાસતમાં લેવામાં આવ્યા હતા, બાકીની પ્રક્રિયા કાયદા હેઠળ ચાલી રહી હતી, કેમ કે તેમની સામેના આરોપો સામે કુદરતી કારણોસર તેમની જામીનની અરજીને કોર્ટે નકારી કાઢી હતી. સત્તાવાળાઓ ભારતમાં કાયદાના ઉલ્લંઘન સામે કામ કરે છે ના કે કાયદેસરના અધિકારો વિરુદ્ધ નહીં. આવી રીતે બધાં પગલાં કાયદાનુસાર છે.

સ્ટેન સ્વામીના આરોગ્ય વિશે બાગચીએ કહ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે તેમના એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. તેમને દરેક સંભવ તબીબી સારવાર 28 મેથી મળી રહી હતી. તેમના આરોગ્ય અને સારવાર માટે કોર્ટ દેખરેખ રાખી રહી હતી. તેઓ ખરાબ આરોગ્યને કારણે પાંચ જુલાઈએ નિધન થયું હતું.

જાન્યુઆરી, 2018માં ભીમા કોરેગાવ મામલાના આરોપી- સ્ટેન સ્વામીનું મુંબઈની બાંદરા હોસ્પિટલમાં નિધન થયું હતું, જ્યાં તેઓ રવિવારથી વેન્ટિલેટર પર હતા, એમ તેમના વકીલોએ કહ્યું હતું. તેઓ 84 વર્ષના હતા. તેમની જ્યાં સારવાર ચાલી રહી હતી, ત્યાં 30 મેએ તેઓ કોરોના સંક્રમિત થયા હતા.