સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મોડી રાતે સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ સંયુક્ત ઓપરેશન પુંચના સિંધરા વિસ્તારમાં જારી હતું. સુરક્ષા દળોએ પહેલી કાર્યવાહી 17 જુલાઈએ રાત્રે 11.30 કલાકે કરી હતી, જેમાં ડ્રોન અને નાઇટ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ભારે ગોળીબારની સાથે અથડામણ થઈ હતી. ભારતીય સેનાના વિશેષ દળ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન અન્ય દળોની સાથે ઓપરેશનનો હિસ્સો હતા. ભારતીય સેનાના સત્તાવાર નિવેદનમાં ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર લોકો વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.

જમ્મુ ઝોનના એડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ (ADGP) મુકેશ સિંહે કહ્યું હતું કે મંગળવારે સવારે પાંચ કલાકે અથડામણ ફરી શરૂ થઈ હતી, જેમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથે પહેલી અથડામણ સોમવાર રાત્રે 11.30 કલાકે શરૂ થઈ હતી, જે પછી અન્ય નાઇટ સર્વિલાન્સ ઉપકરણની સાથે ડ્રોન તહેનાત કરવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર શરૂ થયો હતો. ભારતીય સેનાના વિશેષ દળ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન અન્ય દળોની સાથે ઓપરેશનનનો હિસ્સો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદી વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

જોકે આ પહેલાં પુંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ કરતાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.