રાજસ્થાનમાં પ્રવેશનારાઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

જયપુરઃ કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં ચેપનો ફેલાવો કાબૂમાં લાવવા માટે રાજસ્થાન સરકાર કડક બની છે. તેણે રાજ્યમાં પ્રવેશનાર લોકો માટે તેમજ રાજ્યની બહાર જતા લોકો માટે RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.

સમગ્ર રાજસ્થાનમાં શાળાઓમાં 1-9 ધોરણો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટો પોતપોતાના જિલ્લામાં રાતે 8થી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરી શકે છે, પરંતુ એ માટે તેમણે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે.