ગોગોઈ પહેલાં આ રિટાયર્ડ જજ પણ રાજયસભામાં જઇ ચૂક્યા છે

દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અને વિપક્ષના કેટલાય પક્ષના નેતાઓએ તેમની નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા છે. જોકે આવું કંઈ પહેલી વાર નથી થયું, કે કોઈ જજને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હોય. આ પહેલાં પણ કેટલાક જજોને ભૂતપૂર્વ સરકારોએ રાજ્યસભામાં મોકલ્યા હોય અથવા અન્ય પદો પર આરૂઢ કર્યા હોય.

રંજન ગોગોઈ

મોહમ્મદ હિદાયતુલ્લા

1968થી 1970 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા મોહમ્મદ હિદાયતુલ્લાને 31 ઓગસ્ટ, 1979એ ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. તેઓ 30 ઓગસ્ટ 1984 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ બે વાર ભારતના કાર્યવાહક રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.

રંગનાથ મિશ્રા

ભારતના 21મા ચીફ જસ્ટિસ રંગનાથ મિશ્રાને રિટાયરમેન્ટ પછી કોંગ્રેસ સરકારે રાજ્યસભાના સંસદસભ્ય રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીનું શભ્યપદ લીધું હતું. તેમની પર આરોપ હતો કે તેમણે 1984નાં શીખવિરોધી રમખાણોમાં કોંગ્રેસને ક્લીનચિટ આપી હતી, જેને કારણે તેમને આ ઇનામ આપવામાં આવ્યું હતું.

બહારુલ ઇસ્લામ

1952માં કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા પછી બહારુલ ઇસ્લામ લાંબો સમય સુધી પાર્ટી માટે કામ કરતા હતા. ત્યાર બાદ પાર્ટીએ તેમને રાજીનામું અપાવડાવીને 1972માં ઇન્દિરા ગાંધી સરકારે તેમને ગૌહાટી હાઇકોર્ટના જજ બનાવ્યા હતા. 1980માં નિવૃત્ત થયા બાદ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવ્યા હતા. નિવૃત્તિના છ મહિના પહેલાં તેમણે રાજીનામું આપીને કોંગ્રેસમાંથી તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.