આજે સાંજે 5 વાગ્યે મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રવ્યાપી સંબોધન કરવાના છે.

આ જાણકારી વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા ટ્વિટરના માધ્યમથી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાવાઈરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે એ રાહત વચ્ચે વડા પ્રધાન મોદી આજના સંબોધનમાં દેશવાસીઓને કંઈક માર્ગદર્શન આપશે એવી ધારણા છે.