આ શબ્દો તમે થોડા સમય પહેલાં સાંભળ્યા હતા?

છેલ્લા કેટલાક સમયથી આ નવા શબ્દોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, જે કેટલાક સમય પહેલાં આપણને સાંભળવા પણ નહોતા મળ્યા. આપણી વાતચીતમાં હવે કેટલાક અચાનક એવા શબ્દો આવવા માંડ્યા છે, જેનો અર્થ કદાચ આપણે પણ નથી ખબર હોતી. વળી આ શબ્દો રોજબરોજની ભાષામાં એટલા ભળી ગયા છે કે ભલે આપણે એ શબ્દનો અર્થ  પૂરેપૂરો ના સમજાતો હોય, પણ આપણે ખબર પડી જાય છે કે સામેની વ્યક્તિ આપણને શું કહેવા માગે છે. કેટલીક વાર જે ઘટના અને આતંકવાદને કારણે આપણી રોજબરોજની ભાષામાં એ શબ્દો હિસ્સો બની જાય છે. ચાલો, જાણીએ આવા કેટલાક શબ્દો વિશે…

લોકડાઉન

વિશ્વના કેટલાય દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણથી લડવા માટે લોકડાઉન કરી દીધું છે. ભારતમાં પણ 24 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનથી કરફ્યુ જેવી સ્થિતિ હોય છે. જરૂરી સેવા અને જરૂરી કામ સિવાય લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોય છે, પણ આમાં કરફ્યુ જેવી સખતાઈ નથી હોતી.

જનતા કરફ્યુ

જનતા કરફ્યુનો પહેલી વાર ઉપયોગ 19 માર્ચ, 2020એ વડા પ્રધાન દ્વારા કરવામાં વ્યો હતો. વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસથી લડવા માટે 22 માર્ચ, 2020એ જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું. જનતા કરફ્યુનો સમય સવારે સાત વાગ્યાથી રાત્રે નવ કલાક સુધી હતો.

ક્વોરોન્ટાઇન

જોકોઈ વ્યક્તિ અથવા પ્રાણી કોઈ સંક્રમક રોગથી પીડિત હોય તો એના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ એ રોગનો ચેપ લાગવાની શક્યતા છે. જેથી રોગ વધુ ના ફેલાય એટલા માટે એ વ્યક્તિને કેટલોક સમયગાળા માટે અલગ રાખવામાં આવે છે. બીમારી રોકવા માટે ક્વોરોન્ટાઇનનું સખતાઈથી પાલન કરવામાં આવે છે.

આઇસોલેશન-સોશિયલ ડિસ્ટન્સિંગ

આઇસોલેશનનો અર્થ બધાથી સ્વેચ્છાએ અલગ રહેવું. સોશિયલ ડિસ્ટન્સિંગનો અર્થ પણ એ જ અર્થ થાય છે કે બીજાથી અંતર રાખવું. સંક્રમિત બીમારીથી બચવા માટે આ જ એક અકસીર ઉપાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ભીડમાં જાય છે, તો તેને ચેપ લાગવાનો ડર રહે છે, જેથી આઇસોલેશનનો અર્થ બિલકુલ એકલા રહેવું તે છે.

PPE

PPE-Personal protective equipment  અથવા વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ. કોઈ વ્યક્તિને શરીરને જખમ અથવા સંક્રમણ (કોરોના વાઇરસ)થી બચાવવા માટે જે કપડાં, હેલ્મેટ, ચશ્મા અથવા કોઈ અન્ય કપડાં અથવા ઉપકરણને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે.

કોરોના

 

ડિસેમ્બર, 2019માં ચીનમાં નવા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું જે હવે વિશ્વઆખામાં ફેલાયું છે. હાલ જે કોરોના વાઇરસનો પ્રકોપ ફેલાયો છે, એની હજી સુધી કોઈ વેક્સિન કે દવા નથી શોધાઈ.

એર સ્ટ્રાઇક

ફેબ્રુઆરી, 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. એનો બદલો લેવા ભારતીય એરફોર્સે એર સ્ટ્રાઇક કરી હતી. એ વખતથી એર સ્ટ્રાઇક શબ્દ વાતચીતમાં આવ્યો છે.

નોટબંધી   

8 નવેમ્બૂર, 2016એ સરકારે રૂ. 500 અને રૂ. 1000ની નોટ ચલણમાંથી રદ કરી હતી, એ પછી નોટબંધી શબ્દ વાતચીતમાં આવી ગયો.

સર્જિકલ સ્ટ્રાઇક

ભારતીય એર ફોર્સે સપ્ટેમ્બર, 2016માં પાકિસ્તાના કાશ્મીરમાં આતંકવાદી શિબિરોને ખતમ કરી હતી. મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમ સેનાએ જે કાર્યવાહી કરી હતી એ સર્જિકલ સ્ટ્રાઇક હતી.

કરપ્શન

2011માં UPA  વિરુદ્ધ અણ્ણા આંદોલન  પૂરી દેશમાં ફેલાયું હતું. જેથી એ આંદોલન ભ્રષ્ટાચારની સામે હતું. એ આંદોલનને લીધે કરપ્શન શબ્દ લોકપ્રિય થયો.