9 જૂનના મોદી લેશે શપથ, જાણો કોણ બનશે મહોત્સવના સાક્ષી

લોકસભા ચૂંટણી બાદ NDA ગઢબંધનમાં બેઠકોના દોર શરૂ થયા હતા. જેમાં મંત્રી પદોને લઈ અને શપત ગ્રહણની તારીખ માટે બેઠકો ચાલી રહી હતી. દિલ્હીમાં NDAની સંસદીય દળની બેઠકમાં સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા. જો કે ત્યાર બાદ હવે તેમના શપથગ્રહણની તારીખ સામે આવી છે.

સતત ત્રીજી વખત NDA સરકાર બનાવ્યા બાદ શતપ ગ્રહણ પર લોકાની ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો હતો. જ્યારે હવે ચર્ચાના વિષય પર પૂર્ણ વિરામ ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ મુક્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથગ્રહણની તારીખ જણાવી હતી. આગામી 9 જૂન, 2024 રવિવારના રોજ સાંજે 6 વાગ્યે આ સમારોહ યોજાશે.

મહત્વનું છે કે 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. મળતી માહિતી અનુસાર આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.

ભાજપ 275ના જાદુઈ આંકડાને પાર નથી પહોંચી શક્યો. એટલા માટે NDAના ગઠબંધન હેઠળ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી PM  બનવાની તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ નેતાઓએ તેને મંજૂરી આપી હતી. એનડીએની બેઠકમાં બિહારથી જેડીયુ લીડર તરીકે નીતીશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ બંને કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠકમાં એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી જેવા અન્ય એનડીએના સહયોગીઓએ પણ હાજરી આપી હતી.