લલન સિંહનું રાજીનામું: JDUના નવા અધ્યક્ષ બન્યા નીતીશકુમાર

નવી દિલ્હીઃ જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષપદથી લલન સિંહે રાજીનામું આપ્યું છે. પાર્ટીએ લલન સિંહનું રાજીનામું પણ મંજૂર કરી લીધું છે. JDUના અધ્યક્ષ લલન સિંહે (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી પ્રમુખપદ માટે નીતીશકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. છેલ્લા ગણા સમયથી JDUમાં સંગઠનાત્મક બદલાવને લઈને અટકળોનું બજાર ગરમ હતું.  ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અટકળો હતી કે લલન સિંહને સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (RJD)થી નીકટતાને કારણે અધ્યક્ષપદથી રાજીનામું આપવા માટે કહેવામાં આવે એવી શક્યતા છે.

જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતિશ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. રાજીનામું આપતા પહેલાં લલન સિંહ એ જ કારમાં સીએમ નીતીશકુમાર સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સભા પહેલાં સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓ ‘નીતીશ કુમાર ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા… ‘નીતીશ કુમાર દેશના વડાપ્રધાન બનવું જોઈએ’.

)નીતિશ કુમારે મિડિયાને કહ્યું હતું કે ચિંતા કરશો નહીં, બધું સામાન્ય છે. વર્ષમાં એક વાર મળવાની પરંપરા છે એટલે સામાન્ય વાત છે, આના જેવું કંઈ ખાસ નથી. મુખ્ય મંત્રીની આ ટિપ્પણી એવી અટકળો બાદ આવી છે કે નીતિશના વિશ્વાસુ ગણાતા રાજીવ રંજન સિંહ ‘લલન’એ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટી જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે મુખ્ય પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું લાલન સિંહ 29 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ પાર્ટી બેઠકોમાં ઔપચારિક રીતે રાજીનામું આપે તેવી શક્યતા છે, તો તેમણે સીધો જવાબ આપ્યો ન હતો. ગત વર્ષે ભાજપ સાથેના સંબંધો તોડીને બિહારમાં આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે નવી મહાગઠબંધન સરકાર બનાવનાર નીતિશને જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં પાછા ફરવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. .