નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કુદરતી ગેસની કિંમતની ફોર્મ્યુલામાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને કિંમત માટે એક ટોચમર્યાદા નિશ્ચિત કરી છે. આને કારણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ વાટે સપ્લાઈ કરાતા રાંધણ ગેસ (પીએનજી)ના દરમાં 10 ટકા જેટલો ઘટાડો થશે.
ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવ વધી જવાને કારણે દેશના શહેરોમાં પીએનજી અને સીએનજીના દરમાં 2022ના ઓગસ્ટ સુધીના એક વર્ષમાં 80 ટકાનો વધારો થયો હતો. પરંતુ હવે દેશના ગેસ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસનો ભાવ આયાતી ક્રુડ તેલના ભાવ સાથે સુસંગત રખાશે. તેથી સીએનજી અને પીએનજીના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો થશે.
