કોરોનાના દૈનિક કેસો ત્રણ લાખને પારઃ 491નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસોએ ત્રણ લાખના સ્તરને પાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,17,532  નવા કેસ નોંધાયા છે. આ પહેલાં બુધવારે 2.82 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 491 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,82,18,773 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,87,693 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 16 ટકાની ઉપર થયો છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,58,07,029 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 84,825 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,24,051એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.69 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.28 ટકા થયો છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 9287એ પહોંચી છે, જેમાં ગઈ કાલની તુલનાએ 3.63 ટકાનો વધારો થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,35,180 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 70.93 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 159.67 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,59,67,55,879 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 73,38,592 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.