મુંબઈઃ ભાજપે કહ્યું છે કે જો એનસીપી અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપીને શિવસેના પર મુસ્લિમ ક્વોટા આપવાનું દબાણ બનાવે તો મહારાષ્ટ્ર સરકાર હાથ પકડશે. એનસીપી અને કોંગ્રેસે કહ્યું કે, સરકાર શિક્ષણમાં મુસ્લિમોને પાંચ ટકા ક્વોટા આપશે. મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મુસ્લિમ ક્વોટા આપવા માટે પ્રસ્તાવ હજી સુધી મારી પાસે આવ્યો નથી અને જ્યારે આવશે તો તની યોગ્યતાની ચકાસણી કરવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુગંતીવારે મીડિયાને કહ્યું કે, અમારી પાર્ટીનું માનવું છે કે અનામત ધર્મના આધારે ન આપી શકાય. રાજ્યના પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, શિવસેનાએ જે વલણ અપનાવ્યું છે તે યોગ્ય નથી તેઓ સંવિધાનની વાત કરી રહ્યા છે. સંવિધાન ધર્મના આધાર પર અનામત આપતો નથી. જો ધર્મના આધાર પર જ અનામત આપવામાં આવવાની હોય તો શિખો અને ઈસાઈઓનો શું વાંક છે?
ભાજપના નેતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પહેલા જ આર્થિક રુપથી પછાત વર્ગ માટે 10 ટકા કોટાની વ્યવસ્થા કરી છે. જેમાં મુસ્લિમ અને ઈસાઈ બંન્ને આવે છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઉદ્ધવજીએ ખૂબ સારુ વલણ અપનાવ્યું છે. શિવસેનાની સાથે અમારું ગઠબંધન સિદ્ધાંત પર આધારીત હતું. જો કોંગ્રેસ અને એનસીપી આ મુદ્દે દબાણ કરી રહ્યા છે તો શિવસેનાએ ચિંતા કરવાની કોઈ જરુર નથી.
