અધિક 2023: ઉજ્જૈનનું 114 વર્ષ જૂનું સૌથી મોટું ગણેશ મંદિર

ઇન્દોરઃ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની પાસે હરસિદ્ધિ મંદિર જતા માર્ગ પર ખીણની પાસે શહેરની સૌથી મોટી ગણેશ મૂર્તિ વિરાજમાન છે. એવું કહેવાય છે કે આ મૂર્તિ આશરે 114 વર્ષ પૂર્વે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરની કીર્તિ એટલીબધી છે કે ભગવાન શ્રી ગણેશની બહેનો દેશ-વિદેશથી પ્રતિ વર્ષ રક્ષા બંધનના તહેવાર તેમને રાખડીઓ મોકલે છે. અત્યાર સુધી શહેરવાસી આ મંદિરને શહેરની સૌથી મોટા ગણેશના નામથી ઓળખે છે, પરંતુ આ મંદિરમાં મહાદેવનું એક અનોખું શિવલિંગ છે, જેમાં મધ્યમમાં બાબા મહાકાળ અને આસપાસ 11 જ્યોતિર્લિંગ બનેલાં છે.મંદિરના પૂજારી પંડિત સંજય વ્યાસે જણાવ્યું હતું કે મંદિરમાં 12 જ્યોતિર્લિંગનું આ શિવલિંગ 90 વર્ષ જૂનું છે, જેની પ્રતિદિન પૂજા-અર્ચના અભિષેક કરવા સાથે સમયાંતરે સહસ્રનામાવલિથી 1000 બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે.મંદિરમાં સૌથી મોટા ગણેશજી, દ્વાદસ જ્યોતિર્લિગની સાથે નવગ્રહનું એક વિશેષ સ્થાન છે, જેમાં ખગોળની દિશા અનુસાર બધા ગ્રહો અહીં વિરાજમાન છે. એ સાથે દુર્ગા માતાની એક પ્રતિમા છે, જે દુર્ગા બાગ પેલેસ દેવાસથી મહારાજ પવારના ત્યાંથી અહીં લાવવામાં આવી હતી. આ પ્રતિમા કાળા પાષાણની છે, જે અત્યંત ચમત્કારી અને દિવ્ય છે.

આ મૂર્તિઓની સાથે મંદિરમાં 100 વર્ષ જૂની હનુમાનજીની અષ્ટધાતુની પંચમુખી મૂર્તિ છે. જેને એક તાંત્રિક દ્વારા આ મંદિરને આપવામાં આવી છે.તાંત્રિકે કહ્યું હતું કે આ મૂર્તિ એવા સ્થાન પર વિરાજિત કરવાની કે જ્યાં એ મૂર્તિને શ્રદ્ધાળુઓ દ્વારા ટચના થઈ શકે. અહીં માતા યશોદાના ખોળામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વિરાજમાન છે.