દેશમાં રોડ અકસ્માતોમાં 12 ટકાનો વધારોઃ દિલ્હી ટોચે

નવી દિલ્હીઃ દેશમાં રોડ દુર્ઘટના સતત વધી રહી છે. દેશમાં રસ્તા દુર્ઘટનાઓમાં 12 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 1,68,491 લોકોનાં મોત થયાં છે, એમ અહેવાલ કહે છે. આ રોડ અકસ્માતોમાં મૃતકોમાં 9.4 ટકા અને ઘાયલ થનારાઓમાં 15.3 ટકાનો વધારો થયો છે. આ અહેવાલ આવ્યાના એક દિવસ પછી પંજાબના સંગરૂરમાં રોડ અકસ્માતમાં એક બાળક સહિત છ લોકોનાં મોત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક કાર એક મોટા ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે મોટા ભાગનાં લોકોના ઘટનાસ્થળે મોત થયાં હતા.

અહેવાલ કહે છે કે દેશમાં સૌથી વધુ રોડ અકસ્માત દિલ્હીમાં નોંધાયા છે. દિલ્હીમં 5652 અકસ્માતો નોંધાયા છે. ત્યાર બાદ ઇન્દોરમાં 4680, જબલપુરમાં 4046, બેંગલુરુમાં 3822, ચેન્નઈમાં 3452, ભોપાલમાં 3312, મલ્લાપુરમ 2991,મ જયપુરમાં 2687, હૈદરાબાદ 2516 અને કોચી 2432નો ક્રમાંક આવે છે. દેશમાં 1દ લાખની વસતિ ધરાવતાં 50 શહેરોમાં કુલ રોડ અકસ્માતોમાં 46.37 ટકા દુર્ઘટનાઓ બની છે. 2021ની તુલનાએ 2022માં ચેન્નઈ, ધનબાદ, લુધિયાના, મુંબઈ, પટના અને વિઝાગને છોડીને બધી 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં અકસ્માતો અને મોતની સંખ્યામાં વધારો થયો છે.

રોડ અકસ્માતોમાં વધારો થવાનું મોટું કારણ ઓવરસ્પીડિંગ છે, એ સાથે નશામાં ડ્રાઇવિંગ કરવું, ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવાનું અને લાપરવાહાથ ડ્રાઓઇવિંગ કરવાનું વગેરે સામેલ છે. આ સિવાય બાઇકથી થયેલા અકસ્માતોમાં આશરે 50,000 લોકોનાં મોત થયાં છે. બાઇકની પાછલી સીટસવાર 1,337 લોકોનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ નહોતી પહેરી.

અહેવાલ જણાવે છે વર્ષ 2022માં 68 ટકા મોત ગેરામીણ વિસ્તારોમાં થયા હતા, જ્યારે શહેરી વિસ્તારોમાં 32 ટકા મોત થયાં છે.