UP કોંગ્રેસના 100 નેતાઓ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી થવાનો છે. નિમંત્રણ મળ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા અધીર રંજન ચોધરીએ આ સમારંભમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. જોકે તમામ ટીકાઓ પછી પણ UP કોંગ્રેસના 100 નેતાઓ અયોધ્યા જશે.

UP કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના આશરે 100 નેતાઓ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં નિમંત્રણને કોંગ્રેસ નકાર્યા પછી પણ રાયે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે અને અન્ય નેતાઓની સાથે નક્કી કાર્યક્રમના અનુસાર 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા સહિત રાજ્યની વિવિધ પાર્ટીના નેતા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ અયોધ્યા જશે.

મારી સાથે પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે તથા વરિષ્ઠ નેતા પ્રમોજ તિવારી અને પી. એલ. પૂનિયા પણ અયોધ્યા જશે અને સાથે આશરે 100 કોંગ્રેસી પણ જશે. 15 જાન્યુઆરીએ અયોધ્યા જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સવારે સૂર્ય ઉત્તરાયણ થઈ જશે અને નારિયેળ વધેર્યા પછી તેઓ અયોધ્યા માટે પ્રસ્થાન કરશે.કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ- ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સન્માનપૂર્વ અસ્વીકાર કરી ચૂક્યા છે. કોંગ્રેસે ભાજપ પર ચૂંટણીનો લાભ લેવા માટે આ કાર્યક્રમને રાજકીય બનાવવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ધર્મ એક વ્યક્તિગત મામલો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને RSSના નેતાઓ પર મંદિરના ઉદઘાટન પાછળના હેતુ પર સવાલ ઊભો કર્યો હતો.