મહારાષ્ટ્રમાં એકેય દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે કોરોના ચેપી બીમારીના ફેલાવા સામે તંત્રની સજ્જતાની ચકાસણી કરવા માટે આવતી 13-14 એપ્રિલે રાજ્યમાં મોક-ડ્રિલ હાથ ધરવામાં આવશે.

સાવંતે નાગરિકોને કહ્યું છે કે તેમણે ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવું અને ભીડ થતી હોય એવા સ્થળોએ સાવચેતી રાખવી. હાલ કોવિડ કેસ વધી રહ્યા છે એ ખરું, પરંતુ આ બહુ હળવા પ્રકારનો વેરિઅન્ટ છે, એની ખાસ અસર નથી. તમામ કોવિડ હોસ્પિટલોનાં સત્તાવાળાઓ સાથે મેં વાતચીત કરી છે અને જનતાને અપડેટ આપું કે હાલ આપણા રાજ્યમાં એકેય દર્દી વેન્ટીલેટર કે ઓક્સિજન સપોર્ટ પર નથી.