નવા વર્ષમાં સાહિત્ય અકાદમીનો પ્રથમ કાર્યક્રમ કાંદિવલીમાં `મારું પ્રિય પુસ્તક’

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની નવનિયુક્ત સમિતિ દ્વારા આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ શનિવાર તા.૨૨ એપ્રિલે સાંજે ૫.૩૦ વાગ્યે જયંતીલાલ એચ. પટેલ લૉ કૉલેજ, બીજે માળે, કાંદિવલી (પશ્ચિમ) ખાતે યોજાશે. કેઈએસ સંચાલિત ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ પુસ્તક દિન’ને અનુલક્ષીને આયોજિત આ કાર્યક્રમમાં `મારું પ્રિય પુસ્તક’ વિષય પર સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલ, ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી અને ઉદ્યોગસાહસિક મહેશ શાહ પોતાના પ્રિય પુસ્તક વિશે વકતવ્ય આપશે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેનાર વરિષ્ઠ સાહિત્યકાર દિનકર જોષીના આશીવર્ચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. કાર્યક્રમનું સંચાલન પ્રતિમા પંડ્યાનું રહેશે. કાર્યક્રમનું સંયોજન કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર અને કવિ સંજય પંડ્યાએ કર્યું છે. વહેલો તે પહેલો ધોરણે સર્વ સાહિત્યરસિકોને જાહેર આમંત્રણ છે.