મુંબઈઃ મુંબઇની એક NIA કોર્ટે માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં તમામ સાત આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ પુરાવો વિશ્વસનીય નથી.
મહારાષ્ટ્રના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ માલેગાંવ શહેરમાં થયેલા વિસ્ફોટનાં લગભગ 17 વર્ષ બાદ NIAની વિશેષ કોર્ટ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. માલેગાંવમાં 2008માં થયેલા આ વિસ્ફોટમાં છ લોકોને મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત આ છે આરોપીઓ
ભાજપનાં નેતા અને ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા લેફ્ટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત કુલ સાત આરોપીઓ સામે UAPA (અન્યુયોગ્ય પ્રવૃત્તિઓ રોકથામ અધિનિયમ) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો. આ કેસમાં મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી અન્ય આરોપીઓ છે.
આ કેસની તપાસ કરનારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ આરોપીઓને “યોગ્ય સજા” આપવા માગણી કરી છે. આ ઘટનાને લગતો કેસ 2018માં શરૂ થયો હતો અને 19 એપ્રિલ, 2025એ પૂર્ણ થયો હતો. મુંબઈથી લગભગ 200 કિમી દૂર આવેલું માલેગાંવ શહેરમાં 29 સપ્ટેમ્બર, 2008એ મસ્જિદ પાસે ઊભેલી એક મોટરસાયકલમાં બાંધેલા વિસ્ફોટકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકોનાં મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
