મુંબઈ નોર્થ: પીયુષ ગોયલના વચનો કે પછી ભૂષણ પાટીલનો આત્મવિશ્વાસ

મુંબઈ નોર્થ લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્રના 48 સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. બોરીવલી, દહિસર, મગથાણે, કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ વેસ્ટ લોકસભા મતવિસ્તાર આ લોકસભા મતવિસ્તારમાં સામેલ છે.મુંબઈ ઉત્તર મતવિસ્તાર, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ અને ત્રણ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસના કાર્યકર ભૂષણ પાટીલ વચ્ચે સીધી લડાઈ જોવા મળશે.

ભાજપે મુંબઈમાં સૌથી પહેલા મુંબઈ નોર્થ પર ઉમેદવાર તરીકે પીયૂષ ગોયલનું નામ જાહેર કરી દીધું હતું. જ્યારે કોંગ્રેસે નામાંકન ભરવાના છેલ્લા દિવસો પહેલા જ ભૂષણ પાટીલના નામની જાહેરાત કરી. આ વિસ્તારમાં મરાઠી અને ગુજરાતી મતદારોનું પ્રમાણ વધારે છે.

ભાજપની વાત કરીએ તો 1991થી નવમાંથી સાત વખત ભાજપે આ મતવિસ્તાર પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વાજપેયી સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈકે 1989 અને 2004 વચ્ચે 15 વર્ષ સુધી આ મતવિસ્તારમાં સાંસદ તરીકે પોતાનું પદ સંભાળ્યું હતું.મતદાનના અગાઉની પેટર્ન જોતાં એવું લાગે તે મુંબઈ નોર્થ વિસ્તારમાં મતદારો ભાજપની તરફેણમાં રહ્યાં છે, પછી તે ગુજરાતી મતદારો હોય કે મરાઠી.

2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદા કોંગ્રેસ માટે આ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. બાદમાં સંજય નિરુપમે ત્યાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જેઓ હવે 2009માં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સેનામાં જોડાયા છે.જોકે, ભાજપે 2014 અને 2019 બંનેમાં લોકસભા ચૂંટણી જીતનાર ગોપાલ શેટ્ટીને મેદાનમાં ઉતારીને આ સીટ જીતી લીધી હતી.

ચૂંટણી પંચ (EC)ના ડેટા અનુસાર, મુંબઈ માં નોર્થમાં 18.03 લાખ નોંધાયેલા મતદારો છે, જેમાં મરાઠી, ગુજરાતી, મારવાડી અને ઉત્તર ભારતીયોની નોંધપાત્ર વસ્તીનો સમાવેશ થાય છે. આ સમુદાયો ઉપરાંત મુંબઈ ઉત્તરમાં મુસ્લિમો પણ છે, જેઓ લાયક મતદારોમાં 19% હિસ્સો ધરાવે છે, જ્યારે 7% મતદારો અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિના છે.

મતવિસ્તારની વસ્તીએ ઐતિહાસિક રીતે ભાજપની તરફેણ કરી છે.

મુંબઈ નોર્થ મતવિસ્તારમાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે- મલાડ, ચારકોપ, કાંદિવલી (પૂર્વ), મગાથાણે, બોરીવલી અને દહિસર. આમાંથી પાંચ બેઠકો પર સત્તાધારી ભાજપ-શિવસેના ગઠબંધનના વર્તમાન ધારાસભ્યો છે જ્યારે મલાડ બેઠક કોંગ્રેસની છે. આ જગ્યા ભાજપના ગઢ તરીકે ઓળખાય છે,ત્યારે મરાઠી મતદારો ચૂંટણી પરિણામોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.આથી કોંગ્રેસે આ મતવિસ્તારમાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

કોંગ્રેસના ભૂષણ પાટીલ માને છે કે 32 વર્ષથી આ મતવિસ્તારમાં રહેતા સ્થાનિક તરીકે તેઓ ગોયલ કરતાં મતદારો સાથે વધુ મજબૂત જોડાણ ધરાવે છે.

“મોદીજી (નરેન્દ્ર મોદી) એ ભારતને વિકસીત ભારત બનાવવા માટે સ્પષ્ટ આહ્વાન આપ્યું છે અને અમે ભારત-યુગમાં જીવી રહ્યા છીએ. તે દિવસ દૂર નથી, જ્યારે ભારત વિશ્વ ગુરુ બનીને ઉભરી આવશે અને રાષ્ટ્રને સકારાત્મક દિશા તરફ લઈ જવાની આપણા દરેકની જવાબદારી છે ” ગોયલે તેમના એક અભિયાનમાં કહ્યું હતું.

છેલ્લા એક મહિનાથી કેન્દ્રીય મંત્રી વેપારી સમુદાયના સભ્યો, સ્થાનિકો, વિદ્યાર્થીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો સાથે બેઠકો કરી રહ્યા છે. ગોયલ પણ તેમના મતદારો સાથે તાલમેલ બનાવવાના પ્રયાસમાં મોર્નિંગ વોકર્સમાં જોડાતા અને યોગ સત્રોમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.

તેવી જ રીતે,ભૂષણ પાટીલ ઉત્તર મુંબઈની લેન અને બાય-લેન દ્વારા પ્રચાર કરતા, ઘરોની મુલાકાત લેતા અને રોડ શો કરતા જોવા મળે છે. પાટીલ, જેઓ સ્થાનિક કોળી સમુદાયના પણ છે, તેમણે મડ અને ગોરાઈમાં માછીમારીના ગામોની પણ મુલાકાત લીધી હતી.

મુંબઈ નોર્થ મતવિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓનો પોતાનો હિસ્સો છે. છેલ્લા એક દાયકામાં અરબી સમુદ્રના પ્રવેશદ્વાર એવા મડ અને વર્સોવા ખાડીઓના કિનારાને અડીને આવેલા ગેરકાયદેસર અતિક્રમણના ઉદ્ભવને કારણે મેન્ગ્રોવના વૃક્ષો કાપવામાં આવતાં ગ્રીન કવરને નોંધપાત્ર નુકસાન થયું છે. આ ઉપરાંત પોઈસર અને દહિસર નદીઓ પણ દર વર્ષે ચોમાસામાં પૂરનું કારણ બને છે.

વર્તમાન સાંસદ તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ગોપાલ શેટ્ટીએ અતિક્રમિત જમીનોને જાહેર જનતા માટે ખુલ્લી જગ્યાઓમાં પરિવર્તિત કરવા માટે લોકપ્રિયતા મેળવી હતી.

મુંબઈ ઉત્તરમાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ પાસે, એક એકનાથ શિંદેની શિવસેના પાસે અને એક કોંગ્રેસ પાસે છે.