રશિયા બે લાખ બાળકોને ઉઠાવી ગયાનો ઝેલેન્સ્કીનો દાવો

કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનનાં બે લાખથી વધુ બાળકો રશિયાના સૈનિકો દ્વારા જબરદસ્તી લઈ જવામાં આવ્યા છે, જેમાં અનાથાશ્રમથી, માતા-પિતાની સાથે રહેતાં બાળકો અને પરિવારથી જુદા પડેલાં બાળકો સામેલ છે.તેમણે રાષ્ટ્રને નામ વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે આ ગુનાઇત નીતિનો ઉદ્દેશ માત્ર લોકોને ચોરવાનો નથી, પણ યુક્રેનના લોકોને યુક્રેનમાં પરત ફરતા અસમર્થ બનાવવાનો છે તેમણે કહ્યું હતું કે યુક્રેન જવાબદાર લોકોને દંડિત કરશે, પણ એ રશિયાને યુદ્ધમાં બતાવી દેશે કે યુક્રેનને જીતી નહીં શકાય. અમારા લોકો આત્મસમર્પણ નહીં કરે અને અમારા બાળકો આક્રમણકારોની સંપત્તિ નહીં બને. તેમણે કહ્યું હતું કે રશિયાથી કબજાવાળા વિસ્તારોમાં અત્યાર સુધી 243 બાળકો માર્યા ગયા છે. 446 બાળકો ઘાયલ થયાં છે અને 139 બાળકો લાપતા થયાં છે. જોકે આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે, કેમ કે રશિયાના સૈનિકોના કબજાવાળા વિસ્તારોની સ્પષ્ટ સ્થિતિ વિશે તેમની સરકારને માહિતી નથી. તેમણે 11 બાળકોનાં નામોનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના મોત વિશે માહિતી આપી હતી.