સમુદ્રના પેટાળમાં જુઓ ટાઈટેનિકના અવશેષો; રૂ.93-લાખના ખર્ચે

ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી મોટા કદના, લક્ઝરિયસ અને સુંદર જહાજોમાંના એક ટાઈટેનિકથી આખી દુનિયા વાકેફ છે. કમનસીબે ટાઈટેનિક જહાજની સફર પૂરી થઈ શકી નહોતી. 1912ની 14-15 એપ્રિલની કાળમૂખી રાતે ઉત્તરીય એટલાન્ટિક મહાસાગરમાં કેનેડાની દરિયાઈ સીમાથી લગભગ 400 માઈલ દૂરના સ્થળે હિમશીલા સાથે અથડાયા બાદ તે બ્રિટિશ જહાજે જળસમાધિ લઈ લીધી હતી. એ વખતે જહાજમાં 2,200 મોંઘેરા મહેમાનો-પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો હતા. દુર્ઘટનામાં 1,500 જેટલા લોકો માર્યા ગયા હતા. 700 જેટલા લોકો બચી ગયા હતા. જહાજનો કાટમાળ છેક 1985માં શોધી શકાયો હતો.

હવે એ કાટમાળ જોવા ઈચ્છતા લોકો માટે સમાચાર છે કે તેઓ રૂ. 93,19,687 (સવા લાખ યૂએસ ડોલર) ખર્ચીને સમુદ્રના પેટાળમાં ટાઈટેનિકના દુર્ઘટના સ્થળને અને જહાજના અમુક અવશેષોને જોઈ શકશે. એ માટે તેમણે સમુદ્રની સપાટીથી લગભગ 12,467 ફૂટ નીચે યાત્રા કરવાની રહેશે. અન્ડરવોટર દુનિયાની શોધ કરનારી કંપની ઓશનગેટ એક્સપીડિશને આ ઘોષણા કરી છે. એણે પોતાના આ પ્રોજેક્ટને ‘ટાઈટેનિક સર્વે એક્સપીડિશન-2021’ નામ આપ્યું છે.

આ યાત્રા માટે માનવસંચાલિત ‘ઓશનગેટ સબમર્સિબલ’ (સબમરીનની જેમ પાણીમાં ડૂબકી મારી શકે એવી નાના કદની બોટ)નો ઉપયોગ કરવામાં આવશે. પહેલા શેડ્યૂલનું ઉદઘાટન આવતા વર્ષે મે મહિનાના અંતભાગમાં કરાશે અને જુલાઈના મધ્યભાગ સુધી ચાલશે. આવા છ મિશન હાથ ધરાશે. દરેક મિશન 10-10 દિવસનું હશે.

ઓશનગેટ સબમર્સિબલઓશનગેટ સબમર્સિબલ