નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હોસ્પિટલના એક કાર્યક્રમમાં નર્સો પર એક નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને જણાવ્યું કે, જ્યારે મને ઈન્જેક્શન મારવામાં આવ્યું તો મને નર્સો અપ્સરા જેવી દેખાવા લાગી. તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાન ઈમરાન ખાને એક હોસ્પિટલના કાર્યક્રમમાં કહ્યું કે, એક ઈન્જેક્શન લાગ્યા બાદ મને નર્સો અપ્સરા જેવી દેખાવા લાગી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2013 માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી હું પડી ગયો હતો અને તે સમયે મને આ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ મને જ્યારે નર્સોએ ઈન્જેક્શન લગાવ્યું તો મને એવું લાગ્યું કે જાણે અપ્સરા દેખાઈ રહી છે. આટલું જ નહી મને ઈન્જેક્શન બાદ મારું દર્દ પણ દૂર થઈ ગયું હતું.
આ પહેલા પણ પાકિસ્તાનમાં એક વીડિયો વાયરલ થયો હતો. આમાં જળવાયુ પરિવર્તન મામલાની રાજ્ય મંત્રી જરતાજ ગુલ વજીર વડાપ્રધાનની પ્રશંસા કરતી નજરે આવી હતી. તે ઈમરાન ખાનના વખાણ કરતા તેમની સ્માઈલનો ઉલ્લેખ કરી રહી હતી. જરતાજે વીડિયોમાં કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનનું વ્યક્તિત્વ એકદમ ખાસ છે. તેમણે કહ્યું કે તેઓ સૌથી સારા વ્યક્તિ છે. તેમણે જણાવ્યું કે ઈમરાન ખાન ખૂબ આકર્ષિત છે.
