ભારતના વિરોધ પછી મુઇજ્જુ કૂણા પડ્યાઃ દિલ્હી આવવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતથી પંગો લઈને માલદીવે મુસીબત વહોરી લીધી છે. સોશિયલ મિડિયા પર બોયકોટ માલદીવના ટ્રેન્ડથી ત્યાંની સરકારને બેકફૂટમાં મૂકી દીધી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સંબંધોમાં આવેલા ટેન્શનને ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

દ્વિપક્ષી દેશના અર્થતંત્રનો મોટો હિસ્સો ટુરિઝમ પર નિર્ભર કરે છે અને ભારતથી આવનારા પર્યટકો, ફિલ્મોના શૂટિંગ વગેરેનો મોટો હિસ્સો હોય છે.હાલ ચીનની યાત્રા પર ગયેલા રાષ્ટ્રપતિ મુઇજ્જુ સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરવા માટે ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે. મિડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે એ માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. અત્યાર સુધી પરંપરા ચાલી આવી રહી હતી કે માલદીવના રાષ્ટ્રપતિ સત્તા સંભાળ્યા પછી સૌથી પહેલાં ભારતની યાત્રા કરતા હતા. બંને દેશો વચ્ચે ગાઢ કૂટનીતિના સંબંધ છે. મોહમ્મદ મુઇજ્જુને ચીનના સમર્થક કહેવામાં આવે છે. તેઓ ગયા વર્ષે નવેમ્બરમાં પદભાર સંભાળ્યા પછીસતત બીજિંગ માટે પોતાની વફાદારી જારી કરતા રહે છે. સત્તામાં આવ્યા પછી તેઓ તુર્કી, સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. હાલ તેઓ ચીનની યાત્રા પર છે.

માલદીવનાં મહિલા મંત્રી મરિયમ શિઉના દ્વારા વડા પ્રધાન મોદીના સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી પછી માલદીવ સરકારને ભૂલનો અહેસાસ થયો છે. હવે માલદીવના વડા પ્રધાન ભારતની મુલાકાત લેવા ઇચ્છે છે.