માત્ર કોરોના નહીં, ચામાચીડિયા સર્જિત 500 ઘાતક વાઈરસો શોધાયા છે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે કારણરૂપ ગણાયેલા ચામાચીડિયા પર કેટલાય દેશો સંશોધન ચાલી રહ્યા છે. ચીનમાં આવું સંશોધન જાન્યુઆરીમાં સામે આવ્યું હતું. એ વખતે વુહાન સહિત દેશમાં કોરોના વાઇરસના હજ્જારો મામલા થઈ ચૂક્યા હતા.આ શોધ યુનાન પ્રાંતમાં મોજૂદ ચૂનાના પથ્થરોની ગુફાઓમાં કરવામાં આવી હતી. આ સંશોધનને NGOએ ઇકો-હેલ્થ એલાયન્સે કર્યું હતું. આ સંશોધન દરમ્યાન વિજ્ઞાનીઓએ અહીંથી ચામાચીડિયાના જાળાં, થૂંક અને લોહી સહિત કેટલાય પ્રકારના નમૂના એકત્ર કર્યા હતા. ઇકો-હેલ્થ એલાયન્સ નવાં ઘાતક વાઇરસોની ઓળખ કરીને બચાવ કરવામાં મદદ કરે છે.

અત્યાર સુધી 500 ઘાતક વાઇરસ શોધાયા

ઇકો હેલ્થ એલાયન્સના અધ્યક્ષ અને વૈજ્ઞાનિક પીટર દાસજાક આ પહેલાં પણ આ પ્રકારનું સંશોધન કરી ચૂક્યા છે. અત્યાર સુધી વિશ્વભરમાં ચામાચીડિયાથી સર્જિત આશરે 500 ઘાતક વાઇરસ શોધાઈ ચૂક્યા છે. વર્ષ 2003 અને વર્ષ 2004માં પણ આ પ્રકારના ઘાતક વાઇરસનું સંશોધન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી શોધાયેલા ઘાતક વાઇરસ અને વિશ્વની સમસ્યા બનેલા નોવેલ કોરોના વાઇરસનો આમાંથી 96 ટકા વાઇરસ સાથે સામ્યતા ધરાવે છે. પીટર જણાવે છે કે છેલ્લાં 10 વર્ષોમાં 20થી વધુ દેશોમાં મેં ખતરનાક વાઇરસ શોધી કાઢ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ચામાચીડિયા સૌથી મોટી ગુફા

આ વૈજ્ઞાનિકોની શોધનું માધ્યમ માત્ર ચામાચીડિયા જ નહીં, પણ અન્ય પ્રાણીઓ પણ હોય છે. અત્યાર સુધી થયેલા સંશોધનમાં એ વાત બહુ નક્કર રીતે સામે આવી છે કે આ વાઇરસ પહેલાં ચીન અને પછી દુનિયા આખીમાં ફેલાયો. ઓસ્ટ્રેલિયામાં ચામાચીડિયાની સૌથી મોટી ગુફા છે અને એની પર સંશોધન કરવા માટે મોટી સુવિધા પણ છે.

ચામાચીડિયાના મળમાંથી વાઇરસની પુષ્ટિ

ચીનના વૈજ્ઞાનિક અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના પ્રમુખ વૈજ્ઞાનિક શી જેંગલીએ ચામાચીડિયાથી થતા વાઇરસ વિશે ઘણો લાંબો સમય સુધી સંશોધન કર્યું. તેમણે સંશોધન પેપરમાં લખ્યું હતું કે તેમણે ચામાચીડિયાનો મળ એકત્રિત કર્યો હતો, જેમાં નોવેલ કોરોના વાઇરસની પુષ્ટિ થઈ હતી. તેમણે આ સંશોધન વર્ષ 2013માં કર્યું હતું. નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન આ બીમારી ચીનમાં ફેલાઈ રહી હતી ત્યારે આ વાઇરસ પહેલેથી જ મોજૂદ વાઇરસ સાથે સામ્યતા સરખાવવામાં આવી હતી.એ વખતે આ બંને વાઇરસમાં 96 ટકા સામ્યતા હતી.

ચામાચીડિયામાં મોટી સંખ્યામાં ઘાતક વાઇરસ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસ ફેલાવવા માટે માત્ર ચામાચીડિયા જ જવાબદાર નહીં હોય, પણ અન્ય પ્રાણીઓ એના સંપર્કમાં આવ્યા હશે, એ જ એના ફેલાવા માટે જવાબદાર હશે. આમાં બિલાડી, ઊટ, પૈંગોલિન અને અન્ય સ્તનધારી પ્રાણી પણ હોવાની શક્યતા છે અને ફરી એક પછી એક આના સંક્રમણથી વાઇરસ ફેલાતો ગયો હશે.ચામાચીડિયામાં મોટી સંખ્યામાં ઘાતક વાઇરસ હોય છે, જે ઇબોલા, સાર્સ અને કોવિડ-19 જેવા રોગચાળાનાં કારણ બને છે.

હજ્જારો પ્રકારના કોરોના વાઇરસ

2009માં અમેરિકાની સહાય દ્વારા ઇકોહેલ્થ એલાયન્સ, ધ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન, ધ વાઇલ્ડ લાઇફ કોન્ઝર્વેશન સોસાયટી અને કેલિફોર્નિયાની કંપની સાથે એકક મહામારી ટ્રેકર બનાવવામાં આવી. જેનો ઉદ્દેશ નવી બીમારીઓની ઓળખ કરવા3નો હતો. દાસજાકે કહ્યું હતું કે અમે સાર્સની ઉપત્તિ માટે સંશોધન કર્યું, પણ અમને માલૂમ પડ્યું કે હજ્જારો પ્રકારના કોરોના વાઇરસ છે એટલે અમે સંશોધન કરવા માટે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.