ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજવાનું કેમ બંધ કર્યું?

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. આ વાઇરસથી અમેરિકામાં 10 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 56,500થી વધુનાં મોત થયાં છે. આ વાઇરસ રોજ સેંકડો લોકોને ભરખી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ અપડેટ અને સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપવા માટે વ્હાઈટ હાઉસમાં યોજવામાં આવતી પત્રકાર પરિષદને સંબોધવાનું બંધ કરી દીધું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આની પાછળ જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્રેસ બ્રીફિંગનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું હતું કે પક્ષપાતી મિડિયા શત્રુની જેમ સવાલ પૂછીને અને તથ્યોની સાથે અહેવાલ નથી છાપતા.

આને લીધે અમેરિકાના લોકોને આજકાલ ફેક ન્યૂઝ સિવાય કંઈ નથી મળતું. હવે ટ્રમ્પ દ્વારા પત્રકાર પરિષદો યોજવાનું બંધ કરવાનું એક કારણ એમનો ચૂંટણી પ્રચાર પણ છે એવું લોકો રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે નાહક દલીલબાજીમાં ઊતરી જતા હતા, જેને કારણે તેમનાં જ નિવેદનોની ખૂબ ટીકા થતી હતી.