નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનને પગલે નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની એક સૈન્ય ચૌકીને નષ્ટ કરવાની ઘટનાનો પ્રથમ વિડિયો શેર કર્યો છે.. સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા શસ્ત્રવિરામના ઉલ્લંઘનનો મજબૂત જવાબ આપવામાં આવ્યો છે.
વિડીયોમાં નગરોટા સેક્ટરમાં એરફઓર્સ દ્વારા ડ્રોનને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે. આ સંઘર્ષમાં એલ-70 તોપો, ZU-23 મિ.મી., શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય આધુનિક કાઉન્ટર-ડ્રોન સાધનોનો વ્યાપક ઉપયોગ થયો, જે ભારતીય સેની હવાઈ હુમલાનો
ગુરુવારે રાત્રે પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર સહિત કેટલાક વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાની કોશિશો કરવામાં આવી, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવી. અખનૂર, સાંબા, બારામુલ્લા અને કૂપવાડા સહિત અનેક વિસ્તારોમાં સાયરન વાગ્યા અને વિસ્ફોટોની માહિતી મળી હતી, કારણ કે ભારતીય સશસ્ત્ર દળોએ સરહદ પર રાત્રે વિશાળ ચાંપતી નજર રાખી હતી.
OPERATION SINDOOR
Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/WTdg1ahIZp
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 9, 2025
આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે ભારતે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કશ્મીર (PoK)માં નવ આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. આ હુમલામાં 27 લોકોના જીવ ગયા હતા. ત્યાર પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનિં પ્રણ લીધા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતની અખંડતતાની રક્ષા માટે કોઈ પણ હદ અડચણ બની શકે નહીં અને દેશ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ભારતે હંમેશાં જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તન કર્યું છે, ઘણું સંયમ રાખ્યો છે અને વાટાઘાટથી સમસ્યાઓ ઉકેલવામાં વિશ્વાસ રાખે છે. જો કોઈ દેશ ભારતના સંયમનો લાભ લેવા પ્રયત્ન કરશે, તો તેને કડક જવાબનો સામનો કરવો પડશે. અમે ભવિષ્યમાં પણ આવી જ જવાબદાર, પરંતુ દ્રઢ કામગીરી માટે તૈયાર છીએ, એમ તેમણે કહ્યું હતું.
