ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિકાસની દિશામાં મોટું પગલું: પીયૂષ ગોયલ

નવ દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં ભારત-અમેરિકા વેપાર કરારને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક માળખાગત કરાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને 2047 સુધી વિકસિત ભારત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે આ કરારમાં ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યું છે. સંસદમાં આપેલા નિવેદનમાં તેમણે એ પણ કહ્યું હતું કે આ કરાર ભારતને વિકસિત દેશ બનાવવા તરફની યાત્રાને વધુ મજબૂતી આપશે.

બંને પક્ષો છેલ્લા એક વર્ષથી વિવિધ સ્તરે ચર્ચાઓ કરતા રહ્યા છે. આ ચર્ચાઓ દરમિયાન ભારતીય પક્ષ ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યો છે. 140 કરોડ ભારતીયોની જરૂરિયાતોની સુરક્ષા કરવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશને વિકસિત બનવાના માર્ગ પર આગળ વધારવા માટે ઊર્જા, વિમાનન, ડેટા સેન્ટર અને પરમાણુ ઊર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા વધારવાની જરૂર છે; અમેરિકા આ ક્ષેત્રોમાં અગ્રણી દેશ છે. હું એ બાબત પર ભાર મૂકવા માગું છું કે આ દર ઘણા સ્પર્ધાત્મક દેશો પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા શૂલ્ક કરતાં ઓછો છે. આ કરાર ભારતીય નિકાસકારોને તુલનાત્મક લાભ આપશે.  ખાદ્ય અને કૃષિ ક્ષેત્રમાં ભારતની સંવેદનશીલતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

આ ઐતિહાસિક માળખાકીય કરાર બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા તરફની યાત્રાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સોમવારે સહમતી થઈ હતી, જે હેઠળ ટ્રમ્પ પ્રશાસને ભારતીય ઉત્પાદનો પર લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફને 0 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવા પર સંમતિ આપી છે.