નવી દિલ્હીઃ ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મેસીની સાથે-સાથે બે મહિલા અધિકારીઓ સામેલ હતા, જેમાં એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને સેનાની કર્નલ સોફિયા કુરેશી હતા. અહીં ઓપરેશન સિન્દૂર અંગે માહિતી આપતાં પહેલાં ભારત પર પાકિસ્તાન તરફથી આજદિન સુધી થયેલા તમામ આતંકવાદી હુમલાનાં દ્રશ્યો બતાવવામાં આવ્યા.
વિદેશ સચિવ વિક્રમ મેસ્સીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલાનો ઉદ્દેશ દેશમાં સાંપ્રદાયિક ટેન્શન ઊભું કરવાનો હતો, પરંતુ દેશની જનતા અને સરકારે આ ઇરાદો સફળ થવા દીધો નહોતો નહીં.
સઆ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત પર 2001માં સંસદ હુમલાથી માંડીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા, ઉરી, પુલવામાથી માંડીને પહેલગામ હુમલાની વિડિયો ક્લિપિંગ બતાવવામાં આવી હતી.
Foreign Secretary Vikram Misri, Col. Sofiya Qureshi, and Wing Commander Vyomika Singh are briefing the media on #OperationSindoor at the National Media Centre.
📽️A short video highlighting Pakistan’s continued support for terrorism against India was played during the briefing : pic.twitter.com/aZz88I7Jw5
— All India Radio News (@airnewsalerts) May 7, 2025
તેમણે કહ્યું હતું કે સેનાએ પાકિસ્તાની સેનાનાં સ્થાનો પર નહીં, પરંતુ આતંકવાદી સ્થાનો પર કાર્યવાહી કરી છે. પહેલગામ હુમલો કાયરતાપૂર્ણ હતો. પહેલગામ હુમલાની તપાસથી પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે.
પત્રકાર પરિષદમાં આપવામાં આવેલી મુખ્ય માહિતી
• પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ ખુલ્લો થયો છે, આ હુમલાની રચના પાકિસ્તાનના ટ્રેક રેકોર્ડ સાથે મેળ ખાય છે. પાકિસ્તાન હવે આતંકવાદીઓ માટે શરણસ્થાન બની ગયું છે, જ્યાં આતંકવાદીઓનો ગઢ છે.
• ભારતે આતંકવાદી હુમલાઓ અટકાવવા અને જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે.
• અમે આતંકવાદ સામે સીમિત કામગીરી કરી છે.
• આપણી કાર્યવાહી કોઈ પ્રકારની ઉશ્કેરણી નથી.
ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન આધારિત કાશ્મીર (પીઓકે)માં આવેલ આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. આ એરસ્ટ્રાઇકમાં 62થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. ભારતીય સેનાને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી સંગઠનોનાં સ્થાનોને પણ નષ્ટ કરી દીધાં છે.
આ કાર્યવાહીમાં ભારતીય સેનાને પાકિસ્તાનને એની પોતાની ભાષામાં જવાબ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લશ્કર-એ-તૈયબાના ખાસ સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ એરસ્ટ્રાઇકમાં ઘણા આતંકી હેન્ડલર્સ પણ માર્યા ગયા છે અને લશ્કર-એ-તૈયબાનાં ત્રણ મોટાં સ્થાનોઓને નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને LOC નજીક આવેલાં ગામડાં પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાની માહિતી છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય સેનાને પણ પાકિસ્તાનની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ઘાયલ પણ થયા છે.
