અમદાવાદ: શહેરના ચંડોળા તળાવના ચારે તરફના વિસ્તારમાં અત્યારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં શાહઆલમથી નારોલ તરફ જતો રસ્તો જ્યાં પહેલા બસમાં મુસાફરી કરો તો આખું ચંડોળા તળાવ શિંગોડા સહિત અનેક વનસ્પતિઓ, પક્ષીઓથી ભરેલું દેખાતું ધીરે-ધીરે ગેરકાયદેસર બાંધકામ થયા.
જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો હાલ ખાલી કરાવી રહી છે. આ અત્યંત સાંકડા બની ગયેલા માર્ગ પર આવેલી એક દરગાહ પર લખ્યું છે ‘ ગુજરાત રાજ્ય પોલીસની સંપત્તિ..આ એક સુરક્ષા યંત્ર છે. આની સાથે ચેડા કરવા એ ફોજદારી ગુન્હો બને છે. ચોકીદાર બાવાની દરગાહ..’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણો દૂર કરવાની કામગીરીમાં આ ચોકીદાર બાવાની દરગાહ એકદમ સુરક્ષિત છે. એની પર આ લખાણની સાથે એક જૂના જમાનાનો ગુજરાત રાજ્ય પોલીસનો એક સિક્કો પણ લગાડવામાં આવ્યો છે. જે ઐતિહાસિક અમદાવાદ શહેરની પોળોમાં જ્યારે હેરિટેજ વોક પર જાઓ તો અનેક ઇમારતો પર જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
