HDFC MFએ અવેરનેસની પહેલ થકી જાગૃતિ યાત્રા સાથે કરી ભાગીદારી

અમદાવાદ: દેશની ઉદ્યોગ સાહસિકતાની ભાવનાની પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે 18મી જાગૃતિ યાત્રા 21મી નવેમ્બર, 2025એ અમદાવાદ પહોંચી હતી. હાલ ચાલી રહેલી 15 દિવસની, 8000 કિલોમીટર લાંબી રાષ્ટ્રવ્યાપી સફરમાં આ વધુ એક સીમાચિહ્ન છે. આ યાત્રા ભારત અને વિદેશના કાળજીપૂર્વક પસંદ કરેલા 500 યાત્રીઓને એક કરે છે. 68,000થી વધુ અરજીઓમાંથી પસંદ કરવામાં આવેલા આ સહભાગીઓ વ્યવસાયોના નેતૃત્વ હેઠળ વિકાસ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણનું જાગૃતિના મિશન માટે વધી રહેલા સમર્થનને દર્શાવે છે.

આ વર્ષની યાત્રાને HDFC મ્યુચ્યુઅલ ફંડનું સમર્થન મળેલું છે જે વ્યવસાય, શિક્ષણ અને નાણાકીય જાગ્રતતા દ્વારા દેશના યુવાનોને સશક્ત કરવાનું સહિયારું મિશન રજૂ કરે છે.

HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિજાણકાર નાણાકીય પસંદગીઓ પણ કરે. અમારી રોકાણકાર શિક્ષણ પહેલ દ્વારા અમે દેશના ખૂણે-ખૂણે રોકાણના સાધન તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જાગ્રતતાને પ્રોત્સાહન આપીને નાણાકીય જાગૃતિ ફેલાવવાનો અને વ્યક્તિઓ, ખાસ કરીને યુવા ભારતીયોને શિક્ષિત કરવાનો ઉદ્દેશ રાખીએ છીએ. અમદાવાદ પ્રકરણની શરૂઆત ઐતિહાસિક ગાંધી આશ્રમથી થઈ હતી, જ્યાં યાત્રીઓએ ગ્રુપ બનાવીને પરિસરની મુલાકાત લીધી હતી અને સત્ય, સેવા અને સ્વ-શિસ્તના એ મૂલ્યોને આત્મસાત્ કર્યા હતા જેણે ભારતની સ્વતંત્રતા ચળવળને આકાર આપ્યો હતો.

ગાંધી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે યાત્રીઓને સંબોધિત કર્યા હતા અને આધુનિક ભારતમાં નૈતિક નેતૃત્વ અને સમુદાય-સંચાલિત વિકાસના નિર્માણમાં ગાંધીવાદી આદર્શો હંમેશની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો. જાગૃતિ યાત્રાના સ્થાપક અને સાંસદ (દેઓરિયા) શશાંક મણિએ પણ સભાને સંબોધન કરતાં આશ્રમને પરિવર્તનશીલ વિચારોનો સ્ત્રોત ગણાવ્યો હતો અને યાત્રીઓને રચનાત્મક કામગીરીની ભાવનાને આગળ વધારવા વિનંતી કરી હતી. મુલાકાતના સમાપન સમયે આશ્રમમાં એક ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.