વડોદરાની નારાયણ સ્કૂલની દિવાલ ધરાશાયી..

વડોદરા: વોઘોડિયા વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં આજે અફરાતફરી મચી ગઈ હતી. નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા ચકચાર મચી ગયો હતો. ત્યારે દુર્ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ત્યારે લોબીનો ભાગ ધરાશાય થતા મલબાની નીચે કેટલીક સાયકલો પણ દબાઈ હતી.

 વડોદરામાં વાઘોડિયામાં આવેલી નારાયણ સ્કૂલની લોબીનો એક ભાગ ધરાશાય થતા શાળામાં અફરાતરફી થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ શાળા કોલેજ જેવા એકમોમાં આગના બનાવ ન બને તે માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે. જ્યારે શાળાના સ્ટ્રક્ચરને લઈ તંત્ર દ્વાર કોઈ પણ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો. બનાવને પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરી છે.