ખેડા જિલ્લામાં થશે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

15મી ઓગસ્ટ 2024ના રોડ ગુજરાત સહિત દેશમાં 78મો સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ સ્વાતંત્ર દિવસે દેશ ભક્તિના રંગમાં રગાવા રાજ્યમાં કેટલીક જગ્યા પર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ વર્ષે સ્વાતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ત્રિદિવસીય ઉજવણી હેઠળ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી પણ સહભાગ બનશે.

સ્વાતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારું આયોજન હેતુ જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે એક બેઠક યોજાઈ. જિલ્લામાં 15મી ઓગસ્ટ 2024ના રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં ટેન્ડર, નાણાં, હિસાબ, ખરીદી, ખર્ચ તથા પ્રિન્ટીંગ સમિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિ, એટ હોમ કાર્યક્રમ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યવસ્થા સમિતિ, પરેડ તથા ધ્વજવંદન કાર્યક્રમ સમિતિ, રહેઠાણ તથા ભોજન પ્રબંધન સમિતિ, વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સમિતિ, આમંત્રણ પત્રિકા તથા સ્વાગત સમિતિ, આરોગ્ય સમિતિ, પ્રચાર પ્રસાર સમિતિ, સફાઈ અને સુશોભન સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, પાણી સમિતિ, પાર્કિંગ સમિતિ, અને શસ્ત્ર પ્રદર્શન સમિતિ સહિત કુલ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓની કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ હેઠળ કરવામાં આવશે.

15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા પર્વ નિમિત્તે રાજ્ય સહિત દેશમાં અલગ-અલગ કેટલાક કાર્યક્રમો યોજાશે. તો આ વર્ષે 11મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે. નોંધનીય છે કે આ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણી પૂર્વ પ્રધાનમંત્ર મનમોહન સિંહના રેકોર્ડ ધ્વજવંદન કરી તોડશે.