શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘અનુસ્મૃતિ – એસબીએસ ગ્રાન્ડ એલમનાઈ મીટ 2025’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2010થી 2016ની વિવિધ બેચના પાસ આઉટ થયેલા 148 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો હૃદયસ્પર્શી મેળાવડો જોવા મળ્યો, જેમાં મિત્રતા ફરી જાગી અને યાદોને તાજી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માના ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી થઈ, જેમણે એસબીએસ એલમનાઈ નેટવર્કના મહત્વ પર ભાર મૂક્તા કહ્યું કે,
“આ કમ્યુનિટી જે અમે બનાવી રહ્યા છીએ તે ફક્ત વ્યાવસાયિક નેટવર્કિંગ વિશે નથી. તે લાઈફ લોંગ રિલેશનશિપને નર્ચર કરવા, શેર્ડ રુટસને સેલિબ્રેટ કરવા અને સાથે મળીને નવી પોસિબિલિટીસ ક્રિએટ કરવા વિશે છે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમારા વારસાનું વિસ્તરણ છે, અને તેમને આજે એક સાથે આવેલા જોઈને એસબીએસ પરિવારની શક્તિ અને ભાવના વધુ મજબૂત બને છે.”
xઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓએ આ ઈવેન્ટને વધારે રસપ્રદ બનાવી, જેમાં “ફ્લેશબેક ફ્રેમ્સ-વોકિંગ ડાઉન ધ મેમરી લેન”, જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના ફોટામાંથી તેમના બેચમેટ્સને ઓળખી તેમના નામ વિશે અનુમાન લગાવ્યું હતું, અને બેચ મુજબની ટીમો દ્વારા ગીત આધારિત ડમ શેરાડ જેવી રમતો રમવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસબીએસના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મી ગીતો અને નૃત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ મેળાવડાથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એસબીએસ સાથે સંકળાયેલા રહી શકે તેવા અર્થપૂર્ણ રસ્તાઓ શોધવાનું પણ એક પ્લેટફોર્મ બન્યું. પછી ભલે તે ઈન્ડસ્ટ્રી કનેક્ટ ઇનિશિયેટિવ હોય, સીએસઆર કોલાબરેશન્સ , મેન્ટોરશીપ, જોઈન્ટ રિસર્ચ અથવા સેવાકીય યોગદાન દ્વારા હોય.
શાંતિ બિઝનેસ સ્કૂલ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કને મજબૂત બનાવવા અને તેમના અનુસ્નાતક થયા પછી લાંબા સમય સુધી બોન્ડિંગ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
