IASની બદલીનો બીજો રાઉન્ડ, 10 IASની થઈ બદલી

રાજ્યમાં વરસાદી સિઝન સાથે બદલીનો પણ સિઝન ચાલી રહી હોય, તેવું લાગી રહ્યું છે. તારીખ 31 જુલાઈના રોજ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. આ ફેરફાર આજે ફરી એક વખતા IASની બદલીનો બીજો રાઉન્ડ લાગ્યો છે. આજે બીજા 10 IASની બદલીની જાહેરાત કરવામાં આવી છે.

આજે 10 IASની બદલીની જાહેરતા કરવામાં આવીછે જેમાં બી.જે પટેલની ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.