ચાંગા: ચારુસેટ યુનીવર્સીટીમાં 31મી ઓક્ટોબર, 2025 શુક્રવારે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યુનિટી, ઈન્ટીગ્રીટી, ફિટનેસ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી ચારુસેટ એન એસ એસ યુનિટ દ્વારા ‘રન ફોર યુનિટી’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં ચારુસેટ યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, ડીવાયએસપી પાર્થ ચોટાલિયા, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા સંકલ્પ લીધો હતો.

ત્યાર બાદ પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને ડીવાયએસપી પાર્થ ચોટાલિયાએ ‘રન ફોર યુનિટી’ ને ફ્લેગ ઓફ કરાવી હતી. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

‘રન ફોર યુનિટી’ માં વિવિધ કોલેજોના અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મહેળાવ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.




